- અખરોટ અને અંજીરને અડધાથી એક કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે.
- પલાળેલા અખરોટને મિક્સર ની જારમાં લઈ ક્રશ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં પલાળેલા અંજીર અને થોડું દૂધ ઉમેરી ફરી ક્રશ કરવાનું છે.
- પેસ્ટ બરાબર તૈયાર થઇ જાય એટલે તેમાં ઠંડાઈ મસાલો, ખાંડ અને બીજું અડધો કપ દૂધ ઉમેરી ફરીથી ક્રશ કરી લેવાનું છે.
- ઠંડાઈ ને સર્વ કરતી વખતે બાકીનું બધું દૂધ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી સર્વ કરી શકાય.
- સર્વ કરતી વખતે ગ્લાસમાં આઈસ ક્યૂબ ઉમેરી, તૈયાર કરેલી ઠંડાઈ ઉમેરી, ચિલ્ડ ઠંડાઈ સર્વ કરવાથી તેનો સ્વાદ વધુ સરસ આવે છે.